બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીમાં ડૉ. સ્વાતિ ઢીંગરાને ફરીથી નિયુક્ત કરાયા

બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીમાં ડૉ. સ્વાતિ ઢીંગરાને ફરીથી નિયુક્ત કરાયા

બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીમાં ડૉ. સ્વાતિ ઢીંગરાને ફરીથી નિયુક્ત કરાયા

Blog Article

બેંક ઓફ ઈંગ્લેન્ડ (BoE)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)માં ડૉ. સ્વાતિ ઢીંગરાને બાહ્ય સભ્ય તરીકે ફેબ્રુઆરીમાં બીજી મુદત માટે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હોવાની ચાન્સેલર ઓફ ધ એક્સચેકર, રશેલ રીવ્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ 8 ઓગસ્ટ 2028 સુધી રહેશે.

ડૉ. સ્વાતિ ઢીંગરા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE) માં અર્થશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર અને LSE ખાતે સેન્ટર ફોર ઇકોનોમિક પર્ફોર્મન્સના એસોસિયેટ છે.






તાજેતરમાં, તેમણે ચેતવણી આપી હતી કે ‘’યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા કોઈપણ ટેરિફના પ્રતિભાવમાં બ્રિટન પાસે સ્વતંત્ર વેપાર નીતિ બનાવવા માટે મર્યાદિત વિકલ્પોનો સામનો કરવો પડ્યો હતો. જો અમેરિકા વેપાર અવરોધો ઉભા કરવા જઈ રહ્યું છે અને બીજા બધા તરફથી બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવશે, તો મને લાગે છે કે તે સુનિશ્ચિત કરવા માટે ખરેખર મહત્વપૂર્ણ ક્ષણ છે કે … તે એક વ્યવસ્થિત વિભાજન છે.”

MPCમાં નિયુક્ત થયેલી પ્રથમ સાઉથ એશિયન મહિલા ઢીંગરા બ્રિટિશ આર્થિક નીતિમાં એક આકર્ષક શક્તિ બન્યા છે. બ્રિટન સતત ફુગાવા અને આર્થિક અનિશ્ચિતતા સાથે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ઢીંગરા MPC ના અલગ અભિગમ માટે સૌથી સુસંગત અવાજ તરીકે ઉભરી આવ્યા છે. તેમણે વ્યાજ દરોમાં વધારા અંગે ચેતવણી આપી છે કે આવા પગલાં જીવનનિર્વાહના ખર્ચના સંકટને વધુ ઊંડું બનાવવા અને આર્થિક પુનઃપ્રાપ્તિને દબાવવાનું જોખમ ધરાવે છે.

ઢીંગરાએ ડિસેમ્બરમાં બ્લૂમબર્ગ સમક્ષ વધુ વ્યાજ દરમાં ઘટાડાની હિમાયત કરી દલીલ કરી હતી કે વર્તમાન પ્રતિબંધક નીતિ જીવનધોરણ પર પ્રતિકૂળ અસર કરી રહી છે, વ્યવસાયિક રોકાણને દબાવી રહી છે અને સંભવિત રીતે લાંબા ગાળાની ઉત્પાદકતાને અવરોધી રહી છે.

ઢીંગરાએ દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એમએ અને યુએસની વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએસ અને પીએચડી મેળવી હતી, તો પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ લીધી હતા.

પ્રિન્સટન ખાતેના તેમના પોસ્ટ ડોક્ટરલ કાર્ય અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ (LSE) માં કાર્યકાળે વેપાર નીતિ અને વૈશ્વિકરણના નિષ્ણાત તરીકે તેમની પ્રતિષ્ઠાને મજબૂત બનાવી હતી. ઢીંગરા બ્રેક્ઝિટના અગ્રણી ટીકાકાર રહ્યા છે અને તેની સંભવિત આર્થિક ખામીઓ અંગે ચેતવણી આપી હતી.

તેઓ LSE ખાતે રિઝોલ્યુશન ફાઉન્ડેશન અને સેન્ટર ફોર ઇકોનોમિક પર્ફોર્મન્સ વચ્ચેના સહયોગ, ઇકોનોમી 2030 ઇન્ક્વાયરી પરના તેમના કાર્ય દ્વારા, તેઓ બ્રિટનના આર્થિક ભવિષ્યને આકાર આપવામાં મદદ કરી રહ્યા છે. તેઓ રોયલ ઇકોનોમિક સોસાયટી કાઉન્સિલના સભ્ય અને રોયલ મિન્ટ મ્યુઝિયમ અને ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝના ટ્રસ્ટી છે. તેઓ રિવ્યૂ ઓફ ઇકોનોમિક સ્ટડીઝના સંપાદકીય બોર્ડમાં છે અને જર્નલ ઓફ ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના સહયોગી સંપાદક છે.

Report this page